પેરિસ હિલ્ટન કાયમ યુવાન રહેવા માગે છે એને મૃત્યુનો ભય સતાવે છે


હિલ્ટન  કંપનીની  વારસદાર  અને અબજો  ડોલરમાં  ખેલતી  સોશ્યલાઈટ પેરિસ  હિલ્ટન  કાયમ  માટે   જીવવા  માંગે  છે  કારણ  કે મૃત્યુ પછી  કશું જ ન  હોય તો જીવન એકદમ કંટાળાજનક  બની  જાય.  એણે  સ્વીકાર્યું  કે  મૃત્યુનો  એને કાયમી  ભય  છે   કારણ  કે જીવ ચાલ્યો જાય પછી શો  અનુભવ  થાય એની એને જાણ જ નથી.

એ  પોતાના મૃતદેહને  થીજાવવો,  ચિરયુવાનીની  ગોળી  ખાવી  જેવા વિકલ્પો  વિશે વિચારી રહી  છે. પરંતુ  એને જાણ નથી  કે એના મૃતદેહને  થીજાવી  દેવાય અને  વિજ્ઞાાનિકોને  વરસો  પછી  પ્રાણ ફૂંકવામાં સફળતા  ન  મળે તો શું થાય. 

હિલ્ટન  કાયમ  એકવીસની  રહેવા માગે  છે. એ  પોતાની જાતને ચિરયુવાન  દેખાવા ભરચક  પણ કુદરતી પ્રયત્નો કરે  છે.  એને  આનંદ છે કે કોસ્મેટિક  સર્જરી  કર્યા  વગર એ ખૂબસુરત અને સેક્સી લાગે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3feCzOl
Previous
Next Post »