
ઠાસરા, તા.26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ઠાસરા તાલુકાના વોર્ડ નં-૫માં છેલ્લા બે અઢી મહિના થી વરસાદી પાણીનો નિકાલ થયો નથી.જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.તેમજ રહીશોને કાદવ-કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
ઠાસરા શહેરના વોર્ડ નં-૫માં આવેલ અમન પાર્ક સોસાયટીની પાછળના ભાગે આઠ થી દસ કુટુબોમાં ૭૦ થી ૮૦ લોકો રહે છે.ઘરોની આજુબાજુમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી વરસાદી પાણી ભરાઇ રહ્યુ છે.જેના કારણે પાણી દુર્ગધ મારે છે.પાણીનો નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહ્યુ છે.આ કુંટુબોને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે.વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે સ્થાનિરો મુશ્કેલીમાં મુકાયા છે.
આ ઉપરાંત અમન પાર્ક સોસાયટીમાં રહેતા ઉસ્માનગની વ્હોરના ઘરોની સામે ૩ થી ૪ ફુટના ખાડાઓ વરસાદી પાણીથી ભરાયેલા છે.પાણી ભરાઇ રહેવાના કારણે પાણીમાંથી દુર્ગધ મારે છે.પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે તેમજ ભારે વરસાદના કારણે વરસાદી પાણી નિકાલ થઇ શકતો નથી.કારણ કે સોસાયટીનો રોડ ઉંચો હોવાના કારણે પાણીનો નિકાલ થઇ શકતો નથી.
તેમજ ઓરંગપુરા ગામ તરફ જતા કાંસમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકતો નથી.આમ રોડ ઉંચા હોવાના કારણે આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.સ્થાનિકોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે.
આ અંગે ઠાસરા પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ઠાસરા પાલિકાના પંપ ચાલુ કરી સંગ્રહ થયેલ વરસાદી પાણીનો નિકાલ પાઇપ લાઇન દ્વારા શહેરના બહુચરાજી મંદિર પાસે આવેલ કાંસમાં કરવામાં આવી રહ્યો છે.જેમ ભૂલી તલાવડી ઓવરફલો થઇ હતી અને પંપ દ્વારા પાણી ગટરમાં નાખી સૌ નગરજનોની સમસ્યા દુર કરી હતી.તેમ આ સમસ્યા પણ દુર થશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ltWjrf
ConversionConversion EmoticonEmoticon