
- બોરિક પાવડરમાં થોડી સાકર તથા પાણી ભેળવી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતા હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.
- લીંબુની છાલને નખ તથા દાંતે રગડવાથી ચમકી ઊઠશે.
- મુખમાંથી કાંદાની દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ તથા ગુલાબજળના મિશ્રણથી કોગળા કરવા.
- કાંદા કાપ્યા બાદ હાથે મીઠું રગડવું જેથી કાંદાની દુર્ગંધ દૂર થશે.
- દૂધ ઉકાળતી વખતે તપેલાની કિનારી પર માખણ લગાડવાથી દૂધ ઉભરાશે નહીં.
- બટાકાના સુપમાં થોડું આદુ ઉમેરવાથી સુપ સ્વાદિષ્ટ થશે.
- શાકને સમારતા પૂર્વે જ ધોઈ લેવા જેથી તેમાંનું પૌષ્ટિક તત્વ જળવાઈ રહે.
- શાકને રાંધતી વખતે જ સમારવું જેથી તેની પૌષ્ટિકતા નાશ ન પામે.
- વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.
- દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણીમાં નાખીને દૂધને ફીણીને રાખવું એનાથી દહીં ઘટ્ટ જામશે.
- બટાકા કાપીને મીઠાવાળા પાણીંમાં રાખવાથી એમાંના વિટામિન તત્વો જાળવાઈ રહે છે.
- એલચી ખાવાથી મુખમાંથી દુર્ગંધ દૂર થાય છે.
- પિત્ત તથા કફથી પીડાતી વ્યક્તિ માટે એલચી લાભદાયક છે.
- એલચીની તાસીર ઠંડી હોવાથી હરસમાં ફાયદાકારક નીવડે છે.
- મુખમાંના છાલા દૂર કરવા એલચીનું સેવન કરવું.
- ઘી-તેલ મસાલાયુક્ત ભોજન બાદ એલચીનું સેવન કરવાથી ફાયદાકારક નીવડે છે.
- મીનાક્ષી તિવારી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7sPOYe9
ConversionConversion EmoticonEmoticon