
ફિલ્મોની જેમ ટીવી વર્લ્ડમાં પણ લવ-અફેરનું ચક્કર ઘણાં મોટા પ્રમાણમાં યાપેલું છે. સંબંધો બંધાય છે અને તૂટે છે. રિલેશનશિપ બંધાવાની અનેતૂટવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. હજુ થોડા દિવસો પહેલાં જ ટીવી કલાકાર કરણ શર્મા અને ગાયિકા ટિઆરા કાર વચ્ચેના ત્રણ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો, જે તાજેતરના મહિનાઓમાં ટીવી- કપલ્સ વચ્ચે બનેલી ઘટનાઓમાંની આ એક છે. અહીં આવી જ કેટલીક ખટમધુરી વાતો વાગોળીએ, જે ગત વર્ષે દરમિયાન બની છે.
શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી વિરુધ્ધ નોંધાવી ઘરેલુ હિંસાની ફરિયાદ
શ્વેતા તિવારીના લાંબા સમયથી થયેલા વિવાહમાં બધુ સમુસુતરું ચાલતું નથી એવા અહેવાલ જાણવા મળ્યા છે, પણ હજુ થોડા મહિના પૂર્વે જ આ અસંતોષને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને પગલે તેણે અપશુકનિયાળ વળાંક લીધો. શ્વેતાએ તેના પતિ અભિનવ વિરુધ્ધ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી કે તેણે ઘરેલું હિંસા આચરી છે અને મારી પુત્રી પલકની હાજરીમાં મને અપશબ્દો કહ્યા છે. શ્વેતા અને અભિનવના લગ્ન ૨૦૧૩માં થયા હતા અને તેમને ત્રણ વર્ષનો પુત્ર રિયાંશ કોહલી પણ છે. અગાઉ આ અભિનેત્રીએ અભિનેતા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં.

મેઘા ગુપ્તા અને સિદ્ધાર્થ કર્ણિકના લગ્ન મુશ્કેલીમાં
ટીવી- કપલ્સ મેઘા ગુપ્તા અને સિદ્ધાર્થ કર્ણિકે હજુ ઓગસ્ટ, ૨૦૧૬ માં જ મીંઢળ બાંધ્યા અને હવે તેમના લગ્નમાં મુશ્કેલીનું વાવાઝોડું ફૂંકાયું છે. અને તે પણ છેક ગયા વર્ષથી! ગયા એપ્રિલ મહિનાથી બંને જણા જુદા જુદાં રહે છે.

કરણ શર્મા અને ટિઆરા કાર છૂટા પડયા
ટીવી શોઝના અભિનેતા કરણ શર્મા અને ગાયિકા ટિઆરા શર્માના લગ્ન ત્રણેક વર્ષ પહેલા થયા હતા. હજુ થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ મળ્યા કે બંને જણા એકાદ વર્ષથી અલગ અલગ રહે છે. બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. તાજેતરમાં કરણે પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 'લગ્નમાં બે વ્યક્તિઓ વચ્ચેની આપસી સમજૂતીને કારણે તેઓ બંધાયેલા રહે છે. જ્યારે એ સમજૂતી નથી ટકતી ત્યારે બંનેએ છૂટા થઈ જવું જ સારું છે.'
સિદ્ધાર્થ અને તેની વાગ્દત્તા સુબુહી વચ્ચે મારપીટ
ટીવી કપલ સિદ્ધાર્થ સાગર અને તેની વાગ્દત્તા સુબુહી જોશી વચ્ચે જૂન, ૨૦૧૯ માં સગાઈ થઈ હતી, પણ તેમણે આ સગાઈ માંડી વાળી છે. સુબુહીએ મારપીટની ફરિયાદ કરી છે જ્યારે સિદ્ધાર્થ કહ્યું છે કે અમારી વચ્ચે સમજૂતી અસ્તિત્ત્વ ધરાવતી છે.
ભૂમિકા ગુરન્ગની કેથ સાથે ઓફ રિલેશનશીપ
ટીવીનો જાણીતો ચહેરો નીમકી મુકરજી અને તેના બોયફ્રેન્ડ કેથે ૨૦૧૮માં સગાઈ કરી હતી, પણ હવે તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે, થોેડા મહિના પછી ! બંને વચ્ચે સંબંધ મધુરા છે. આજે પણ! એક મુલાકાતમાં ભૂમિકાએ કહ્યું હતું કે બંને વચ્ચેની મિત્રતા હવે રિલેશનશીપમાં પરિણમી છે.
ગરિમા જૈન અને રાહુલ સરાફની સગાઈ તૂટી
મે, ૨૦૧૯ માં અભિનેત્રી ગરિમા જૈનની ઓળખાણ મેચ-મેકરે હીરાના વેપારી રાહુલ સરાફ સાથે કરાવી આપી. લંડનમાં રહેતો રાહુલ મુંબઈ આવ્યો અને જૂનમાં બંને જણાએ 'રોકા' વિધિ પાર પાડી. આમ છતાં સમજૂતીના મુદ્દે ગરિમાએ ગયા વર્ષે ઓગસ્ટમાં સગાઈ તોડી નાખી.

પ્રિયા ભટીજા અને કંવલજિત સલુજાના લગ્ન તૂટયા
ટીવી એક્ટર જતિન શાહ સાથે પ્રિયા ભટીજાએ અગાઉ લગ્ન કર્યાં હતાં. આ પછી પ્રિયાએ મ્યુઝિક એરેન્જર અને ડીજે કંવલજિત સલુજા સાથે ૨૦૧૭માં બીજા લગ્ન કર્યાં, પણ આ લગ્ન પણ મુશ્કેલીમાં ફસાયા છે અને આ દંપતિએ એપ્રિલ, ૨૦૧૯માં છૂટાછેડા માટે અરજી કરી છે.
મોહિત અને માનસી શ્રીવાસ્તવ વચ્ચે બ્રેક-અપ
'પોરુષ' ના અભિનેતા મોહિત અબરોલે 'ઈશ્કબાજ'થી જાણીતી અભિનેત્રી માનસી શ્રીવાસ્તવ સાથે ૨૦૧૬માં લગ્નકર્યાં. આઠ વર્ષથી પણ વધુ સમય સાથે રહ્યા પછી બંને જણાએ અલગ થવાનું નક્કી કર્યું છે. મોહિતે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં સૂચવ્યું છે કે બંને વચ્ચે અપશુકનિયાળ બ્રેકઅપ થયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SLfzOI
ConversionConversion EmoticonEmoticon