
- ઇશ્વર દિવ્ય ચેતના છે. તેથી એને સદગુણો તથા સત્યપ્રવૃત્તિઓના રૂપમાં જ જોઈ શકાય છે.
- ધર્મનું કાર્ય મનુષ્યના હૃદયને વિશાળ બનાવે છે.
- ભગવાન પ્રસન્ન થશે તો સદગુણ આપશે.
- કર્તવ્યનું પાલન જ ચિતની શાંતિનો મૂળ મંત્ર છે.
- પ્રાપ્ત પરિસ્થિતિ તો સદુપયોગ જ કર્મ યોગ છે.
- પચાસ વર્ષ પૂરાં થાય એટલે સમજવું અડધું શરીર કાળના મુખમાં ગયું છે.
- ભગવાન આપણી જબાનને નહીં, નીયતને જુએ છે. ચિન્તનને જુએ છે. ભાવનાઓને જુએ છે.
- પુત્ર તો કેવળ કુળને તારે છે. પુત્રી લાયક હોય તો પિતાનું અને પતિનું બંને કુળ તારે છે.
- સેવાના અનેક માર્ગ છે. તેમાં શ્રમદાન, અંશદાન, સમયદાન અને જ્ઞાાાનદાન મુખ્ય છે.
- ગાયત્રી માતા વેદ માતા છે. બધાં જ વેદોના જન્મ ગાયત્રીથી જ થયા છે.
- શરીર તરફ તો આપણું ધ્યાન જાય છે. પરંતુ મન તરફ જતું નથી. ધ્યાન (સ્ીઙ્ઘૈંટ્વંર્ૈહ) આપણા મનને તથા જીવનને બદલી નાખે છે.
- ગુરુ સર્વોતમ તીર્થ છે, માતા-પિતા સમાન કોઈ તીર્થ નથી, સત્ય તીર્થ છે, ક્ષમા તીર્થ છે, પવિત્રતા તીર્થ છે. જ્ઞાાાન તીર્થ છે, મંત્રજપ તીર્થ છે. સ્વાધ્યાય તીર્થ છે. દયા-કરૂણા- પ્રેમ તીર્થ છે.
- જિન્દગી હસતા-રમતા જીવવા માટે છે.
- એક ી પોતાના જીવનમાં જેટલો ત્યાગ કરે છે, પુરુષ એટલો ત્યાગ સો જન્મોમાં પણ નથી કરી શક્તો.
- ભગવાન એક વિધિ-વ્યવસ્થા છે, જે અગ્નિ અથવા વીજળીની જેમ માત્ર સદુપયોગની શરત પર અનુગ્રહ કરે છે.
- મનુષ્યનો એક જ ધર્મ છે. માનવતા
- જેવા આપણને મિત્ર, પુત્ર, ધન, ી વહાલાં છે. તેવો વહાલો ભગવાન લાગે તેનું જ ભક્તિ.
- યાદશક્તિ વધારવા માટે મનનું સકારાત્મક હોવું. મનનું શાંત અને એકાગ્ર થવું જરૂરી છે.
- સંસાર દુઃખ નથી આપતો, સંસારની આસક્તિ દુઃખ આપે છે.
- સંસારમાં આપણને ઓળખે છે કોણ ? એક તે જ તો છે.
- અધ્યાત્મવાદી જે કંઈ પણ પ્રાપ્ત કરશે. તે સમાજમાં વિતરિત કરી દેશે.
- નિષ્કામ કર્મનો અર્થ છે કર્મયોગ.
- પોતે પોતાને ધોખો દેવો જ સૌથી મોટું પાપ છે.
- મૃત્યુ જીવનનું અટલ સત્ય છે, એટલા માટે દરેક ક્ષણે એને યાદ રાખીએ.
- એકાદશી વ્રતનો હેતુ, ભૂખથી પીડિતોના પ્રતિ હમદર્દી જાગ્રત થાય.
- તુલસી આપણાં ઘરમાં શોભાયમાન રહે.
- પોતાના ભાગ્યને નિખારવાની એક માત્ર ચાવી પોતાની ભાવનાઓને સુધારીએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P7oFq3
ConversionConversion EmoticonEmoticon